કોંગ્રેસ, સપા અને બસપાએ સંયુક્ત રીતે ચૂંટણી લડી હોત તો ભાજપ ન જીતત : રાહુલ

ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણીના સમીકરણોને લઈને રાજકીય ચર્ચા અને અટકળો તેજ : રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓને આપ્યો જન્મ

નવીદિલ્હી, તા. 20
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રાયબરેલીની મુલાકાત દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીને 2024ની ચૂંટણીમાં સાથે મળીને લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ માયાવતીએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બસપા એક થઈને ચૂંટણી લડ્યા હોત તો ભાજપની જીત શક્ય ન બની હોત. આ નિવેદન સાથે ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણીના સમીકરણોને લઈને રાજકીય ચર્ચા અને અટકળો તેજ થઈ ગઈ છે.
રાહુલ ગાંધીએ રાયબરેલીમાં એક દલિત છોકરાના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે કોંગ્રેસે માયાવતીને ભાજપ સામે એકત્ર થવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ કોઈને કોઈ કારણોસર માયાવતીએ ચૂંટણી ગઠબંધનને ફગાવી દીધું હતું. રાહુલે કહ્યું, “અમને દુ:ખ છે કે જો ત્રણેય પક્ષો સાથે મળીને ચૂંટણી લડ્યા હોત તો બીજેપી ક્યારેય જીતી શકી ન હોત.” તેમણે વધુમાં કહ્યું કે માયાવતીએ હંમેશા દલિત સમુદાય માટે સારું કામ કર્યું છે, પરંતુ હવે તે યોગ્ય રીતે ચૂંટણી લડી રહી નથી. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી, જ્યારે બસપાએ એકલા હાથે ચૂંટણી લડી હતી અને ભાજપનો વિજય થયો હતો. દરમિયાન, રાહુલ ગાંધી માને છે કે માયાવતીનું ચૂંટણી પ્રદર્શન નબળું રહ્યું છે, ખાસ કરીને 2022ની યુપી વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં. તેમણે કહ્યું કે માયાવતીના પક્ષમાંથી અસરકારક ચૂંટણી વ્યૂહરચનાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. બસપા સાથેના ગઠબંધનને લઈને પહેલાથી જ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ રાહુલના ખુલાસા બાદ આ ચર્ચા વધુ વધી ગઈ છે. હવે સવાલ એ થાય છે કે શું ભવિષ્યમાં કોંગ્રેસ અને બસપા વચ્ચે ગઠબંધનની કોઈ શક્યતા છે? આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ રાહુલ ગાંધીના આ નિવેદનને રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માયાવતીને લઈને એક વિદ્યાર્થીના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, મને કહો કે માયાવતી અત્યારે કેમ યોગ્ય રીતે ચૂંટણી નથી લડી રહી. પહેલા તે અમારી જેમ ભાજપ સામે ચૂંટણી લડતી હતી પરંતુ હવે તે ભાજપની બી ટીમની જેમ લડી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે સપા, બસપા અને કોંગ્રેસ મળીને ભાજપ સામે ચૂંટણી લડે. જો આપણે ત્રણેય ભેગા થઈએ તો ભાજપને હરાવી શકીશું. અહીંથી રાહુલ ગાંધી ઉત્તરપારા પહોંચ્યા જ્યાં તેમણે મહિલાઓ સાથે વાતચીત કરી અને હવે તેઓ રાણા બેની માધવ સિંહની પ્રતિમાનું અનાવરણ કરવા શંકરપુર પહોંચી રહ્યા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:57 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech