લોકો ડીએમકે પાસેથી જવાબ માંગે છે : અમિત શાહ
આ દરમિયાન અમિત શાહે કહ્યું, ’અમે લોકોના વાસ્તવિક મુદ્દાઓ સાથે લોકોની વચ્ચે જઈશું અને મારું માનવું છે કે તમિલનાડુના લોકો વાસ્તવિક મુદ્દાઓ જાણે છે અને ડીએમકે પાસેથી જવાબો પણ માંગે છે.’ લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ ગયા બાદ ભાજપ તમિલનાડુમાં પોતાની સંભાવનાઓ સુધારવા માટે ઉત્સુક છે. તે જ સમયે, કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ આગામી વિધાનસભા ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે ગઉઅ ફરીથી પ્રચંડ બહુમતી મેળવશે અને તમિલનાડુમાં સરકાર બનાવશે. આગામી ચૂંટણીઓમાં ગઉઅ ફરી એકવાર પ્રચંડ બહુમતી મેળવશે અને તમિલનાડુમાં ફરી એકવાર ગઉઅ સરકાર બનશે. છેલ્લી બે ચૂંટણીઓમાં – લોકસભા અને છેલ્લી વિધાનસભા ચૂંટણી – અઈંઅઉખઊં ને મજબૂત પ્રદર્શન કરવામાં મુશ્કેલી પડી રહી છે. 2016માં જે. જયલલિતાના મૃત્યુ પછી, એઆઈએડીએમકેએ ભાજપ સાથે ગઠબંધન કર્યું. 2021 ની રાજ્ય ચૂંટણી દરમિયાન, અઈંઅઉખઊં અને ભાજપ ગઠબંધનમાં હતા, જેના પરિણામે ભાજપે ચાર બેઠકો જીતી હતી. જોકે, 2023 માં, અઈંઅઉખઊં એ ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા.
નવીદિલ્હી, તા. 11
ભાજપે તમિલનાડુમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આયોજન શરૂ કરી દીધું છે અને પાર્ટીએ ફરી એકવાર તેના જૂના ભાગીદાર AIADMK સાથે જોડાણની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના પ્રવાસે છે અને આજે તેમણે અઈંઅઉખઊં ચીફ પલાનીસ્વામી સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં AIADMK-BJP ગઠબંધનની જાહેરાત કરી છે. AIADMK અને BJP નેતાઓની સંયુક્ત પત્રકાર પરિષદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે અઈંઅઉખઊં અને ઇઉંઙના નેતાઓએ સંયુક્ત રીતે નિર્ણય લીધો છે કે આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી અઈંઅઉખઊં, ઇઉંઙ અને ગઉઅ ના રૂપમાં તમામ ગઠબંધન ભાગીદારો સાથે મળીને લડશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ (વિપક્ષી) લોકો ધ્યાન ભટકાવવા માટે NEET અને સીમાંકનનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે અઈંઅઉખઊં પાસે કોઈ શરતો કે માંગણીઓ નથી. અમે AIADMK ના આંતરિક મામલામાં દખલ નહીં કરીએ. આ ગઠબંધન NDA અને AIADMK બંને માટે ફાયદાકારક રહેશે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે ગઉઅ ગઠબંધન અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી અંગે, આ ચૂંટણી રાષ્ટ્રીય સ્તરે ઙખ મોદી અને રાજ્ય સ્તરે અઈંઅઉખઊં નેતા એડપ્પડી કે.ના નેતૃત્વ હેઠળ યોજાશે. પલાનીસ્વામીના નેતૃત્વમાં લડવામાં આવશે. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે અમે લોકોના વાસ્તવિક મુદ્દાઓ સાથે લોકોની વચ્ચે જઈશું અને મારું માનવું છે કે તમિલનાડુના લોકો વાસ્તવિક મુદ્દાઓ જાણે છે અને ડીએમકે પાસેથી જવાબો પણ માંગે છે.
અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે AIADMK ગઉઅ ગઠબંધનનો એક ભાગ છે, અમે સાથે મળીને સરકાર બનાવીશું. ચૂંટણી જીત્યા પછી, ભાજપ સરકારમાં જોડાવાનો નિર્ણય લેશે. મંત્રીઓની સંખ્યા અને બેઠકો યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે અઈંઅઉખઊં ની કોઈ માંગણી નથી. અમારો અઈંઅઉખઊં ના આંતરિક મામલામાં કોઈ હસ્તક્ષેપ નથી. અઈંઅઉખઊંનું ગઉઅમાં આવવું બંને ( AIADMK અને BJP) માટે ઉપયોગી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ડીએમકે સનાતન અને ભાષાનો મુદ્દો ઉઠાવી રહ્યું છે, તે ધ્યાન ભટકાવવા માટે આવું કરી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે ડીએમકે સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીશું. ડીએમકે સરકારે 39,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે, જેમાં દારૂ કૌભાંડ અને મનરેગા કૌભાંડનો સમાવેશ થાય છે. તમિલનાડુના લોકો સ્ટાલિન અને ઉદયનિધિને ક્યારેય માફ નહીં કરે. ધ્યાન ભટકાવવા માટે ડીએમકે ગઊઊઝ અને સીમાંકનનો મુદ્દો પણ ઉઠાવી રહ્યું છે. જો જરૂરી હોય તો, ગઉઅ તમિલનાડુમાં એક સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ તૈયાર કરશે. અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારને તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિ પર ગર્વ છે. મોદી સરકારે સંસદમાં સેંગોલની સ્થાપના કરી.
