પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની તબીયત લથડતાં મોડી સાંજે અઈંઈંખજમાં દાખલ કરાયા હતા
નવીદિલ્હી, તા. 26
દેશના રાજકારણને સૌથી મોટો ફટકો પડ્યો છે. ગઈકાલે મોડી સાંજે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દિલ્હી AIIMSના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભૂતકાળમાં સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા 92 વર્ષીય નેતાને તાત્કાલિક તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના કાર્યાલયના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ વડાપ્રધાન શ્વાસની તકલીફથી પીડાય છે અને તેમને ICUમાં ખસેડવામાં આવ્યા છે. દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે અવસાન થયું. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મનમોહન સિંહ, જેમણે 2004 થી 2014 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી, મનમોહન સિંહે પીવી નરસિમ્હા રાવની આગેવાની હેઠળની સરકારમાં નાણાં પ્રધાન તરીકે શપથ લીધાના ચાર મહિના પછી 1991માં રાજ્યસભામાં પ્રવેશ્યા હતા. ડો. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં થયો હતો. એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા, ડો. સિંહે તેમના જીવનમાં શિક્ષણ, અર્થશાસ્ત્ર અને રાજકારણમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી. તેમણે 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટી (યુકે)માંથી અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સની ડિગ્રી મેળવી. તેમણે 1962માં ઓક્સફર્ડ યુનિવર્સિટીની નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલની ડિગ્રી મેળવી. શિક્ષણ પ્રત્યેનો તેમનો જુસ્સો તેમને પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ભણાવવા તરફ દોરી ગયો.
