વકફ પાસે તેનો કોઈ મહેસૂલ રેકોર્ડ નથી હવે જ્યારે કાર્યવાહી થઈ રહી છે ત્યારે કેટલાક લોકો હિંસા ભડકાવી રહ્યા છે
નવીદિલ્હી, તા. 13
બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન હેઠળ રવિવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક રાજ્ય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે કોંગ્રેસ દ્વારા બાબા સાહેબનું અપમાન કરવાની વાત કરી. સીએમ યોગીએ કહ્યું કે કોંગ્રેસે દિલ્હીમાં આંબેડકરના અંતિમ સંસ્કાર થવા દીધા નહીં. આ જૂના પક્ષે ભારતીય બંધારણના નિર્માતાનું સ્મારક બનાવવાનો ઇનકાર કર્યો હતો. આ એ લોકો છે જેમણે બાબા સાહેબ આંબેડકરને ચૂંટણી હારવા દીધા હતા. તેમના ’મહા પરિનિર્વાણ’ પછી, એક સ્મારક પણ બનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
મુખ્યમંત્રીએ વક્ફ સુધારા કાયદા અંગે પણ વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે વકફના નામે હજારો એકર જમીન પર કબજો કરવામાં આવ્યો છે. વકફ પાસે તેનો કોઈ મહેસૂલ રેકોર્ડ નથી. હવે જ્યારે કાર્યવાહી થઈ રહી છે ત્યારે કેટલાક લોકો હિંસા ભડકાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ત્રણ હિન્દુઓને તેમના ઘરમાંથી ખેંચીને મારી નાખવામાં આવ્યા. આજે યુપીના તે લોકો દલિત તરફી હોવાની વાત કરે છે. તેમના પક્ષો સાથે જોડાયેલા લોકોએ ગરીબો, વંચિતો અને દલિતોની મોટાભાગની જમીનો પર કબજો જમાવી લીધો છે. તેમણે કહ્યું કે, આશ્ચર્યજનક છે કે આ એ જ દેશ છે જ્યાં વકફના નામે લાખો એકર જમીન પર કબજો કરવામાં આવ્યો છે. તેમની પાસે (કબજેદારો) કોઈ કાગળો નથી, કોઈ મહેસૂલ રેકોર્ડ નથી અને જ્યારથી (વક્ફ) સુધારો બિલ પસાર થયું છે અને કાર્યવાહી થઈ રહી છે, ત્યારથી આ માટે હિંસા ભડકાવવામાં આવી રહી છે. યોગીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ત્રણ હિન્દુઓને તેમના ઘરમાંથી ખેંચીને મારી નાખવામાં આવ્યા હતા. આ બધા લોકો કોણ છે? આ એ જ દલિતો, વંચિતો અને ગરીબો છે જેમને આ ભૂમિનો સૌથી વધુ લાભ મળવાનો છે. ગયા અઠવાડિયે સંસદ દ્વારા પસાર કરાયેલ વકફ (સુધારા) કાયદો મંગળવારથી અમલમાં આવ્યો.
મુખ્યમંત્રીએ કહ્યું, “કોંગ્રેસે 1976માં બંધારણમાં સુધારો કર્યો અને એક શબ્દ ઉમેર્યો જેની વિરુદ્ધ બાબાસાહેબે પોતે દલીલ કરી હતી.” આંબેડકરે 6 ડિસેમ્બર, 1956ના રોજ દિલ્હી સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા અને તેમના અંતિમ સંસ્કાર બૌદ્ધ પરંપરાઓ અનુસાર કરવામાં આવ્યા. તેમના અંતિમ સંસ્કાર મહારાષ્ટ્રના મુંબઈ શહેરના ચૈત્યભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા. વર્તમાન કેન્દ્ર સરકારની પ્રશંસા કરતા તેમણે કહ્યું, “એમાં કોઈ શંકા નથી કે છેલ્લા 10 વર્ષમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભાજપ સરકારોએ દરેક વંચિત, દરેક દલિત, દરેક ગરીબ, દરેક મહિલા, દરેક ખેડૂતને સરકારી યોજનાઓનો લાભ આપવાનું કામ કર્યું છે.” યોગી આદિત્યનાથે રાજ્યસભાના સભ્ય અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક બ્રિજલાલે ત્રણ વર્ષ પહેલાં લખેલા પુસ્તકને ટાંકીને કહ્યું કે તે પુસ્તકમાં તેમણે બે મહાન દલિત યોદ્ધાઓની ચર્ચા કરી હતી.
