PAN 2.0ને પણ અપાઈ લીલીઝંડી : મધ્યમ વર્ગ અને નાના ઉદ્યોગો માટે બનશે આશીર્વાદરૂપ
નવીદિલ્હી, તા. 25
કેન્દ્રીય કેબિનેટે સોમવારે મળેલી બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા હતા. બેઠકમાં PAN 2.0ને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પાન કાર્ડ આપણા જીવનનો એક ભાગ છે. મધ્યમ વર્ગ અને નાના ઉદ્યોગો માટે આ મહત્વપૂર્ણ છે. તેને અપગ્રેડ કરવામાં આવ્યું છે. PAN 2.0 મંજૂર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત હાલની સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે. તેમજ ઈનોવેશન મિશન માટે 2750 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.
આ સાથે વન નેશન એન્ડ વન સબસ્ક્રિપ્શનના અમલને પણ મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વન નેશન વન સબસ્ક્રિપ્શનનો સૌથી મોટો ફાયદો યુવાનો અને વિદ્યાર્થીઓને થશે. તેમણે કહ્યું કે સંશોધન માટે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રકાશનોની જરૂર છે. આ ખૂબ ખર્ચાળ છે. ઙખએ તેને નવા સ્વરૂપમાં બદલ્યું છે. તમામ યુનિવર્સિટીઓ તેમના સંસાધનો વન નેશન વન સબસ્ક્રિપ્શનમાં શેર કરશે. સરકાર તમામ વિશ્વ પ્રસિદ્ધ જર્નલો લાવશે. તેમનું લવાજમ લેવામાં આવશે અને દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આના પર અંદાજે 6,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે રૂ. 2750 કરોડના ખર્ચે અટલ ઇનોવેશન મિશન 2.0ને મંજૂરી આપી છે. અટલ ઈનોવેશન મિશન ભારતમાં યુવાનોને ઈનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપમાં આગળ લાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. અમે જાણ્યું હતું કે અટલ ઇનોવેશન મિશનની પ્રથમ આવૃત્તિમાં સ્થાનિક ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેથી અમે અટલ ઇનોવેશન મિશન 2.0 અમલમાં મૂક્યું છે. આ અંતર્ગત આવા 30 ઈનોવેશન સેન્ટર ખોલવામાં આવશે જે સ્થાનિક ભાષામાં કામ કરશે.
