રાજકોટ મિરર, તા. 29
600 એકરમાં ફેલાયેલું ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ માત્ર 9 મહિનામાં કેવી રીતે નિર્માણ પામ્યું ? સતત 35 દિવસ સુધી કાર્યરત આ વિશાળ પ્રોજેક્ટના આયોજન અને અમલીકરણના વિશિષ્ટ અભિગમો કેવા હતા ? આ નગરમાં 1.2 કરોડથી વધુ મુલાકાતીઓનું સફળ સંચાલન કેવી રીતે થયું ?આવી અનેક જિજ્ઞાસાઓને સંતોષતા ત્રણ અભ્યાસપૂર્ણ કેસ સ્ટડીઝ આઈ આઈ એમ (અમદાવાદ) દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયા છે. આ કેસ સ્ટડીઝમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે નિર્માણ પામેલા 600 એકરના અભૂતપૂર્વ ‘નગર’ના આયોજન અને સંચાલનની પ્રક્રિયાને વિગતવાર રીતે સમજાવવામાં આવી છે.
ઇઅઙજના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા 28 નવેમ્બરે ઉદ્ઘાટિત આ કેસ સ્ટડીઝ હવે IIM(અમદાવાદ)ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ કેસ સ્ટડીઝ વિશ્વભરના લોકો માટે નેતૃત્વ, પ્રબંધન અને મેગા પ્રોજેક્ટ્સના અમલીકરણના વિષયમાં દીવાદાંડી સમાન બની રહેશે.
IIMના અનુભવી અને વિદ્વાન પ્રોફેસર વિશાલ ગુપ્તા, પ્રોફેસર સરલ મુખર્જી અને પ્રોફેસર ચેતન સોમનના ઊંડા સંશોધન અને વિશ્ર્લેષણથી તૈયાર થયેલા આ કેસ સ્ટડીઝમાં માનવ પ્રબંધન, સેવાભાવના અને નેતૃત્વના નવતર અભિગમોનું પ્રેરક સંયોજન પ્રસ્તુત થયું છે. તે ઉપરાંત આ મેગા પ્રોજેક્ટના ડિઝાઇન અને અમલીકરણ પર પણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. અહીંની માળખાકીય સુવિધાઓ, લોજિસ્ટિક્સ, સસ્ટેનીબીલીટી અને આવા વિશાળ પ્રકલ્પને સુગમ બનાવતી ટેક્નોલોજીની ભૂમિકાને પણ આલેખી છે.
