તપાસમાં કોઈ મોટી વસ્તુ હાથ લાગી ન હોવાનું સૂત્રોનું માનવુ

તીર્થક, રાધે ગ્રુપ પર ITના દરોડા પૂર્ણ?

રાજકોટ, તા. 30
મોરબી સહિત મહેસાણા ગાંધીનગર અને અમદાવાદમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા જેમાં તીર્થક ગ્રુપ રાધે ગ્રુપ સોહમ કોલ ચાવડા ઇન્ફ્રા સહિત અન્ય બે ગ્રુપ ઉપર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ આદરોડા આગામી ચારથી પાંચ દિવસ સુધી ચાલે તેવું સૂત્રોનું માનવું હતું પરંતુ ક્યાંકને ક્યાંક ગઈકાલે જ સમગ્ર તપાસને આટોપી લેવામાં આવી હોય તેવું જાણકાર વર્તુળો ચર્ચી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે શું આ વાત સાચી છે કે કેમ કારણકે હાલ જે વિગતો સામે આવી રહી છે તે મુજબ જે આઉટ કમ આવવું જોઈએ તે આવ્યું નથી એટલું જ નહીં જે અપેક્ષા હતી તે મુજબનું હજુ પણ કાંઈ બહાર આવ્યું નથી જેને લઈને તપાસ પૂર્ણ કરી દેવામાં આવી હોય તેવું હાલ સુત્રો જણાવી રહ્યા છે.
હાલ મહત્વનું એ છે કે આવનારા દિવસોમાં સાંજે અનેકવિધ ચર્ચા ઊભી થાય તો નવાઈ નહીં કારણકે જ્યારે 70 થી વધુ અધિકારીઓ કોઈ દરોડામાં જોડાણા હોય અને 35 જેટલી જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાય અને તે જગ્યા પરથી જોઈએ તેટલું આઉટક્મ બહાર ન આવે અને તાકીદે દરોડા પૂર્ણ કરી દેવામાં આવે તો એક નહીં અનેક પ્રશ્નો ઉભા થઈ શકે. ગઈકાલે મહત્વની વાત એ છે કે ઘણી ખરી ચોકાવનારી વિગતો પણ આવકવેરા વિભાગને હાથ લાગી હતી એટલું જ નહીં ઝવેરાત અને રોકડ રકમ પણ આકવેરા વિભાગને હાથ લાગી હોવાનું સૂત્ર જણાવ્યું હતું ત્યારે અચાનક ગઈકાલે દરોડા પૂર્ણ કરવાની વાત આવી જતા ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને આને લઈ ઉદ્યોગ જગતમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ હાલ પહેલા વિભાગના અધિકારીઓ આ અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી રહ્યા નથી ત્યારે સત્ય હકીકત શું છે તેનાથી હજુ પણ લોકો અજાણ છે પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ તપાસ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યો હોવાનું હાલ માલુમ પડી રહ્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
2:59 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm