વ્યાપારિક ભાગીદારીની સાથોસાથ દેશનું વિદેશી ભંડોળ 700 બિલિયન ડોલરને પાર થતાં જ રોકાણ માટે અનેક નવી તકો થઈ ઉભી
નવીદિલ્હી, તા. 18
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ભારત સાથે વેપાર કરવા માંગે છે કારણ કે દેશનો પાયો મજબૂત છે. તેમણે કહ્યું કે ફુગાવો નિયંત્રણમાં છે, વિદેશી મુદ્રા ભંડાર 700 બિલિયનને પાર કરી ગયો છે અને દેશ સ્વસ્થ આર્થિક વિકાસ દર નોંધાવી રહ્યો છે. તેમણે કહ્યું કે ભારત રોકાણ માટે સૌથી પસંદગીનું સ્થળ પણ છે.
જ્હોન ચેમ્બર્સે મને 2-3 દિવસ પહેલા કહ્યું હતું કે 3 ટ્રિલિયન (પૈસા) રોકાણની તકો શોધી રહ્યા છે અને તે પૈસા માટે ભારતથી વધુ સારું કોઈ સ્થળ નથી. સિસ્કોના ભૂતપૂર્વ વડાએ વિશ્વમાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમની સેવાઓ ઓફર કરી હતી. આજે ભારત જેવું છે,” ગોયલે અહીં એક કાર્યક્રમમાં કહ્યું. વધુમાં, તેમણે કહ્યું કે વિશ્વ ભારતને એક વિશ્વાસપાત્ર ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. આપણે હવે વિશ્વની ઈર્ષ્યા છીએ અને સમગ્ર વિશ્વ ભારત સાથે છે. તે કરવા માંગે છે.
મળતી માહિતી મુજબ સમગ્ર વિશ્વમાં હાલ ભારત ઉદ્યોગ ક્ષેત્રે જે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને જે ભરોસો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે તેને લઈને વિશ્વના દરેક દેશો અનેકવિધ ક્ષેત્ર માટે ભારત સાથે ભાગીદારી કરવા ઈચ્છે છે. બીજી તરફ ભૂતકાળમાં ચાઇના નું જે રીતે સમગ્ર વિશ્વ ઉપર પ્રભુત્વ હતું તે દિન પ્રતિદિન ઘટી રહ્યું છે સામે ભારતની તટસ્થ નીતિ અને કુટનીતિના પગલે વિશ્વના અનેકવિધ દેશો ભારત સાથે એનકેન પ્રકારે જોડાવા માંગે છે. ઇઝરાયેલ રશિયાનું યુદ્ધ હોય તેમાં પણ બંને દેશો ભારતની મધ્યસ્થી થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે આ તમામ વાત એક રસ્તો જ સૂચવે છે કે કોઈપણ દેશ હવે ભારતની અવગણના કરી શકે તેમ નથી.
વ્યાપાર વૃદ્ધિની સાથોસાથ ભારતે તેની સંસ્કૃતિનું જતન પણ કર્યું છે એટલું જ નહીં આયાત ભારણ ઘટાડવા માટે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને જે રીતે વેગવંતુ બનાવવામાં આવ્યું છે તેને ધ્યાને લેતા હવે એ વાત સ્પષ્ટ થઈ છે કે ભારતનો મુખ્ય લક્ષ્ય વધુને વધુ નિકાસ કરવા માટેનો છે અને તેના માટે પણ વિશ્વના અનેકવિધ દેશો ભારત સાથે જોડાવા માટે મહેનત કરી રહ્યા છે પછી તે અમેરિકા હોય રશિયા હોય કે અન્ય કોઈ દેશ હોય.કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલના જણાવ્યા અનુસાર આવનારા દિવસમાં ભારત સર્વોચ્ચ સત્તા બનશે અને વડાપ્રધાન મોદીનું જે પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીનું જે સ્વપ્ન છે તેને પણ સાકાર કરવા માટે દરેક સંભવત પ્રયત્નો હાથ ધરવામાં આવશે. ટેકનોલોજીનો યુગ હોય કે પછી સેમિક્ધડક્ટર ક્ષેત્ર હોય દરેક વિશ્વની ટોચની કંપનીઓ ભારતમાં આવી રોકાણ કરવા માટે મહેનત કરી રહી છે જે ભારતની સમૃદ્ધતા અને ભારતની તાકાતને ઉજાગર કરે છે.
