સગર્ભા મહિલા અને તેના પતિ ઉપર હુમલો કરનાર ચાર શખ્સો વિરુદ્ધ નોધાઇ ફરિયાદ

0
1170

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલા અને તેના પતિ ઉપર હુમલો કરવા અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. આરોપી પોતાનું બાઈક લઈને ફૂલ સ્પીડમાં પસાર થતાં તેને ટપાર્યો હોવાથી અન્ય ત્રણ સાથે આવીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી પ્રફુલાબા સંજયસિંહ ચુડાસમા નામની ૨૩ વર્ષની સગર્ભા મહિલાએ પોતાને પેટના ભાગે લાત મારી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમ જ પોતાના પતિ સંજય સિંહ ચુડાસમા ઉપર હુમલો કરવા અંગે રામદેવ ચાવડા અને તેના ત્રણ અજાણ્યા સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાને પેટના ભાગે ઇજા થઈ હોવાથી દુથખાવો ઉપડતાં તેણીને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અને પ્રફુલાબા તેના પતી સંજય સિંહ સાથે ગઈકાલે રાત્રે પોતાના ઘરના દરવાજા પાસે બેઠા હતા, તે દરમિયાન આરોપી રામદેવ ચાવડા પોતાનું બાઈક ફુલ સ્પીડમાં લઈને પસાર થતાં તેને ઠપકો આપ્યો હતો જેથી મનદુઃખ રાખીને અન્ય ત્રણ સાગરીતોને લઈને ફરીથી પાછો આવ્યો હતો, અને આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર કરાયું છે. પોલીસ ચારેય આરોપીઓને શોધી રહી છે.