આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લોકવિજ્ઞાન કેન્દ્રમાં 75 તિરંગા કલા કૃતિઓનું પ્રદર્શન અને સ્પર્ધાનું આયોજન

0
791

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લોકવિજ્ઞાન કેન્દ્રમાં 75 તિરંગા કલા કૃતિઓનું પ્રદર્શન અને સ્પર્ધાનું આયોજન

ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર – રેસકોર્સ, રાજકોટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી અન્વયે રાષ્ટ્ર ભાવના કલાકૃતિ અને વિજ્ઞાનનો અદભુત ત્રિવેણી સંગમ પ્રસ્તુત થવા જઈ રહ્યો છે. રાજકોટ કલા શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા આ કાર્યક્રમ દરમિયાન જુદા જુદા આકારોમાં અને માધ્યમો વડે 75 તિરંગા કલાકૃતિ સૌપ્રથમવાર પ્રદર્શિત થવા જઈ રહી છે.

રાજકોટ કલા શિક્ષક સંઘના પ્રમુખ અને જાણીતા ચિત્રકાર અને એવોર્ડ વિજેતા રજનીભાઈ ત્રિવેદી દ્વારા આ 75 તિરંગા કલાકૃતિ તૈયાર કરવામાં આવશે. સમગ્ર રાજકોટ ના રાષ્ટ્રપ્રેમી, કલાપ્રેમી અને વિજ્ઞાન પ્રેમી લોકો પણ પોતાનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ કલા અને વિજ્ઞાનના માધ્યમથી પ્રસ્તુત કરી શકે તે માટે “તિરંગા કલાકૃતિ સ્પર્ધા” પણ જાહેર કરવામાં આવી છે જેમાં ભાગ લેવા માટે કાગળ, કાપડ, ફળ-ફૂલ, વૃક્ષ, પાન, વગેરે જેવી ચીજ વસ્તુઓના માધ્યમથી તિરંગા કલાકૃતિ બનાવીને લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા. 10 ઓગસ્ટ – 2022 સુધીમાં પહોંચતી કરવાની રહેશે. તૈયાર કરાયેલી 75 કૃતિઓની સાથે જ જાહેર જનતા માટે તા. 12 ઓગસ્ટ થી 16 ઓગસ્ટ દરમિયાન સવારે 10 થી સાંજે 6 માં પ્રદર્શન માં પ્રસ્તુત કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ને પ્રમાણપત્ર અને શ્રેષ્ઠ 10 કૃતિઓને આકર્ષક ઈનામો આપવામાં આવશે.