હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા,કર્મફળ દાતા માનવામાં આવે છે. જે વ્યક્તિને કર્મોને હિસાબથી શુભ અથવા અશુભ ફળ આપશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવગ્રહમાંથી શનિને સૌથી ક્રૂર માનવામાં આવે છે. આ સાથે જ સૌથી ધીમી ચાલનારા ગ્રહો પૈકી એક છે. શનિને 12 રાશિઓમાં ફરવામાં આશરે 30 વર્ષનો સમય લાગે છે. એટલા માટે આ દરેક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. વ્યક્તિને આખા જીવનમાં એકવાર શનિની સાડાસાતી અને પનોતીનો સામનો કરવો પડે છે.
કુંડળીમાં સાડા સાતી હોવાથી વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. શનિની સાડા સાતીથી છૂટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અપનાવવા પડે છે પરંતુ અનેક વખત અજણમાં આવી ભૂલો કરી દે છે કારણ શનિદેવ નારાજ થઈ શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિઓને શનિની સાડાસાતીથી પસાર થવું પડે છે અને કઈ વસ્તુનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.
હિન્દુ ધર્મમાં શનિદેવને એવા ભગવાનના રૂપમાં પૂજવામાં આવે છે જે નારાજ થઈ જાય તો સમસ્યાઓનો આવવા લાગે છે. લોકો હંમેશા તેમને પ્રસન્ન કરવાના ઉપાયો શોધતા રહે છે. આવામાં જે જાતકો પર શનિદેવની સાડાસાતી ચાલતી રહે તો અનેક પ્રકારની પરેશાનિયોનો સામનો કરવો પડી શકે છે.