ભારતના સ્ટાર ઓલરાઉન્ડર સુરેશ રૈનાનો ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ:ચાહકોમાં નિરાશા
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી છે. ઉત્તર પ્રદેશના આ હોનહાર ખેલાડીએ ખાસ કરીને ટી ટ્વેન્ટી અને વન ડે ફોર્મેટમાં પોતાનું નામ મોટું કર્યું હતું. તેઓ ભારત વતી જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા ત્યારે તેમાં પણ તેમને સેન્ચ્યુરી ફટકારી હતી. બલ્કે સુરેશ રૈના ભારતના એક એવા ક્રિકેટર છે કે જેમને ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ મેચ, વન-ડે ક્રિકેટ અને ટી 20 માં પણ સદી કરી છે.
પોતાની ડેશિંગ બેટીંગ સ્ટાઈલને કારણે પ્રખ્યાત થયેલા સુરેશ રેના તમામ ફોર્મેટમાં વનડાઉન બેટ્સમેન તરીકે આગળ આવ્યા હતા. જોકે ટેસ્ટમાં તેઓ પાંચમા અને છઠ્ઠા ક્રમે આવતા હતા. ટી ટ્વેન્ટીમાં તેઓ હંમેશાં મેચ વિનરની ભૂમિકામાં પણ રહ્યા છે. તેઓ ભારત ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સના પણ સ્ટાર ક્રિકેટર રહ્યા હતા. Ipl માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ જે ટાઈટલ જીત્યા હોય તો તેમાં સુરેશ રૈના નો વિશેષ ફાળો રહ્યો હતો. આ ઉપરાંત તેઓ ભારત વતી પણ હંમેશા ભરોસાપાત્ર બેટ્સમેન રહ્યા છે. પોતાની આગવી સ્ટાઇલથી તેઓ શાનદાર સિક્સર પણ ફટકારતા હતા. જો કે છેલ્લા બે વર્ષથી તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ ન હતા. પરંતુ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં તેઓ પોતાનું સ્થાન બનાવી રાખ્યું હતું. પરંતુ ગયા વર્ષે દુબઈમાં રમાયેલી iplમાં તેઓ આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ વ્યક્તિગત કારણોસર ભારત પરત આવી ગયા હતા. ત્યારબાદ આ વર્ષે રમાયેલી ipl માં તેમની પસંદગી કરવામાં આવી ન હતી