મહિલા સાથેનો AUDIO વાયરલ થતા મહંત રાજભારતી બાપુનો ગોળી મારીને આપઘાત, વિધર્મી હોવાનો પત્રમાં ઉલ્લેખ

0
26837

 

આજે સવારે મહંત રાજભારતી બાપુ નો મહિલા સાથેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું અને આ રેકોર્ડિંગ માં અભદ્ર શબ્દો સાથેવધુ એક સાધુનો વીડિયો તેમજ ઓડિયો ક્લીપ વાયરલ થવા પામી છે. સાધુની મહિલા સાથે પ્રેમલાપની ઓડિયો ક્લીપ વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

જૂનાગઢના ખેતલિયા દાદાના આશ્રમમાં મહંતે અચાનક જ આપધાત કરી લેતા સમગ્ર પંથકમાં ચર્ચા મચી જવા પામી હતી. ત્યારે રાજભારતી બાપુએ ગોળી મારીને આપધાત કરતા આ બનાવ સમગ્ર ટાઉનમાં ચર્ચા ની વિષય બનવા પામ્યો હતો. રાજભારતી બાપુએ બદનામીના ડરથી આપધાત કરતા હવે અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યો છે. રાજભારતી બાપુના આપધાત બાદ ઓડિયો ક્લીપ પણ વાયરલ થઇ હતી જેમાં મહિલ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. ઓડિયો ક્લીપ સાથે સાથે રાજભારતી બાપુનો પત્ર પણ વાયરલ થવા પામ્યો હતો. જે પત્રમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. રાજભારતી બાપુના અનેક મહિલાઓ સાથે સબંધ હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો છે તેમજ રાજભારતી બાજુ વિધર્મી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે.