પાસપોર્ટ માટે આવતા કે અન્ય નાગરિકો સાથે કોઇ ગેરવર્તન ન કરવા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને આપી ચેતવણી

0
2956

પાસપોર્ટ માટે આવતા કે અન્ય નાગરિકો સાથે કોઇ ગેરવર્તન ન કરવા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને આપી ચેતવણી

સુરત પોલીસ દ્વારા ભવિષ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ રાજયની પોલીસની ટકોર કરી હતી કે નાગરિકો સાથેનું ગેરવર્તન નહીં ચલાવવા લેવામાં આવશે. સુરત પોલીસ દ્વારા નવી પહેલ શરૂ કરાઇ છે. સુરત પોલીસ દ્વારા ‘ભવિષ્ય’ કેન્દ્ર શરૂ કરાયું છે. સુરત પોલીસ પરિવારના દીકરા દીકરીઓ માટે આ કેન્દ્ર કારકીર્દી માટે પ્રેરણા આપનારૂ બની રહેશે.

કાર્યક્રમમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ટકોર કરતા કહ્યું હતું કે, નાગરિકો સાથે ગેરવર્તન નહીં ચલાવી લેવામાં આવે. વધુમાં રાજયમંત્રીએ સુરતમાં ‘ભવિષ્ય’ કેન્દ્રના લોકાર્પણના કાર્યક્રમમાં કહ્યું હતું કે, પાસપોર્ટ કે સામાન્ય કામ માટે પોલીસ સ્ટેશન આવતા લોકો સાથે કોઇપણ ગેરવર્તન કરશે તો તેની સામે પગલા ફરજો અને જો કોઇ ઉચ્ચ અધિકારીઓ પગલા નહીં ભરે અને ફરીયાદ મારા સુધી પહોંચી તો તે ઉચ્ચ અધિકારી સામે પગલા ભરાશે. સાથે તમામ પોલીસ અધિકારીઓને ફુટ પેટ્રોલીંગ વધારવાની સૂચના આપી છે.

સોસાયટીમાં જાગૃતિ લાવવા માટે પેટ્રોલીંગ વધારવાનું અભિયાન શરૂ કરાયું છે. તેમજ સુરતમાં પોલીસ પરિવાર માટે ભવિષ્ય કેન્દ્ર અભિયાનની નવી પહેલનું ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો. જે પોલીસ પરિવારના બાળકો માટે યુપીએસસી, જીપીએસસી સહિત સરકારી પરીક્ષામાં કારકીર્દી બનવા માટે ખુબ ઉપયોગ થશે. પોલીસ દ્વારા વિશેષ લાયબ્રેરી સેવા પણ શરૂ કરાઇ છે