રાજકોટમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો:ગાયના અજાણ્યા માલિક સામે ગુનો નોંધાયો

0
877

રાજકોટમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો:ગાયના અજાણ્યા માલિક સામે ગુનો નોંધાયો

રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ અવારનવાર જોવા મળે છે ક્યારેક વ્યક્તિને બીજા પહોંચે છે તો અમુક વખતે તે વ્યક્તિનો જીવ લઈ લે છે.ગત સપ્તાહ રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. પ્રથમ વખત રખડતા ઢોરે ભોગ લીધા બાદ ગુનો નોંધાયો હતો.
 વિગતે વાત જોઈએ તો માર્કેટિંગ યાર્ડના વેપારી રસિકલાલ ઠકરાર સવારમાં ચાલીને દૂધ લેવા જતા હતા અને સામેથી કાળા કલરની શિંગડા વાળી ગાય આવી અને તેઓને ઢીકે ચડાવ્યા હતા. તેમણે બચવાની ઘણી કોશિશ કરી પરંતુ આસપાસ લોકો પણ નહીવત હતા અને કોઈ તેમને બચાવવા આવી શક્યો નહીં.આમ તેને પછાડીને ખુદી નાખતા તેમનું મૃત્યુ થયું હતું.
માર્કેટયાર્ડના વેપારીના મોતના બનાવ બાદ ઢોર ના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
યુનિવર્સીટી પોલીસ સ્ટેશન મા મૃતક ના પરિવારે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગાયના અજાણ્યા માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી