ચાર કરતા વધારે માણસોના ભેગા થવા તેમજ સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ
રાજકોટમાં આગામી દિવસોમાં જુદી-જુદી ધાર્મિક શોભાયાત્રાઓ અને ધાર્મિક તહેવારો તેમજ રેલીઓ/ ધરણાઓ તેમજ કોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાયને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં તા. ૦૧/૦૭/૨૦૨૨ થી તા. ૩૧/૦૮/૨૦૨૨ સુધી ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
સરકારી અથવા અર્ધસરકારી નોકરીમાં ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ.આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે.