રાજકોટ : વિજશોક લાગતા આદીવાસી મહીલાનું મોત

0
1809

રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીની બાજુમાં આવેલ ઓસ્કાર નામની સાઈટ પર કડીયાકામ કરતા કાળીબેન ચેતનભાઈ મંડોળ (ઉ.27) નામની આદીવાસી મહીલાને આજે સવારે વિજ શોક લાગતા કમકમાટી ભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગેની વધુ વિગત અનુસાર કાળીબેન આજે સવારે સાઈડ પર પતરાથી બનાવેલ બાથરૂમમાં ન્હાવા માટે ગયા હતા. ત્યારે ત્યાં ઉપરથી પસાર થતા વિજ તારમાં અર્થીંગ થતા પતરામાં વિજ પ્રવાહ પસાર થઈ જતા મહીલાને કરંટ લાગ્યો હતો.

મહીલાને તાત્કાલીક સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને જરૂરી કાર્યવાહી કરી હતી. વધુમાં મૃતક મુળ દાહોદના વતની છે અને સંતાનમાં બે પુત્ર છે. જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં કલ્પાંત છવાયો હતો.