હર ઘર તિરંગા અંતર્ગત માઉન્ટેડ પોલીસ અને અશ્વ તાલીમ શાળા દ્વારા 35 અશ્વો સાથે શહેરમાં તિરંગા યાત્રા યોજાઇ

0
280

હર ઘર તિરંગા અંતર્ગત માઉન્ટેડ પોલીસ અને અશ્વ તાલીમ શાળા દ્વારા 35 અશ્વો સાથે શહેરમાં તિરંગા યાત્રા યોજાઇ

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાનમા જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યભરમાં અલગ અલગ સમુદાય દ્વાર તિરંગા યાત્રા યોજાઇ રહી છે. આજે રાજકોટમાં વહેલી સવારે માઉન્ટેડ પોલીસ અને અશ્વ તાલીમ શાળા દ્વારા 35 અશ્વો સાથે શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ માઉન્ટેડ પોલીસના પીઆઇ યુવરાજસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગાના ભાગરૂપે આજ રોજ રાજકોટ માઉન્ટેડ પોલીસ અને અશ્વ તાલીમ શાળા દ્વારા માઉન્ટેડ પોલીસ લાઇનથી રેસકોર્સ સુધી 35 અશ્વો સાથે રાષ્ટ્રધ્વજ સાથે હરઘર તિરંગા અભિયાન અંગે લોક જાગૃતિ માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં રાજકોટ માઉન્ટેડ પોલીસ સ્ટાફ તેમજ અશ્વ તાલીમ શાળાના સભ્યો જોડાયા હતા.આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન દેશનો દરેક નાગરિક પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી આઝાદીના 75 વર્ષની ઉજવણી કરે અને દેશમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધે તે માટે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ આહવાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાનને વધુ સફળતા મળે અને લોકોમાં જાગૃતતા આવે તે માટે અલગ અલગ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં છે.