સાહિબ સિંહ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર કુમાર ઈન્દ્રરાજ, આશિષ સૂદ અને પંકજ કુમાર સિંહનો કેબિનેટમાં સમાવેશ
નવીદિલ્હી, તા. 20
રેખા ગુપ્તાએ ગુરુવાર, 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં આયોજિત ભવ્ય સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા. સાહિબ સિંહ ઉપરાંત રાજૌરી ગાર્ડન મતવિસ્તારમાંથી મનજિંદર સિંહ સિરસા, બવાનાથી રવિન્દ્ર કુમાર ઈન્દ્રરાજ, જનકપુરીથી આશિષ સૂદ અને વિકાસપુરીથી પંકજ કુમાર સિંહને પણ મુખ્યમંત્રી રેખા ગુપ્તાની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. દિલ્હીમાં ભાજપ સરકારના શપથ બાદ મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીએમ રેખા ગુપ્તાએ ગૃહ અને નાણા વિભાગ પોતાની પાસે રાખ્યા છે. અઅઙ પ્રમુખ અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને કારમી હાર આપનાર પ્રવેશ સાહિબ સિંહ વર્માને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમને શિક્ષણ, પરિવહન અને ઙઠઉની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી પદની રેસમાં પ્રવેશનું નામ આગળ હતું. જોકે, ભાજપે રેખા ગુપ્તાને પ્રાધાન્ય આપ્યું હતું. આશિષ સૂદ અને કપિલ મિશ્રાને મહત્વની જવાબદારી મળી છે
રવિન્દ્ર કુમાર ઈન્દ્રરાજને સમાજ કલ્યાણ, એસસી-એસટી બાબતો અને શ્રમ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. કરવલ નગરના બીજેપી ધારાસભ્ય અને દિલ્હીના મંત્રી કપિલ મિશ્રાને પાણી, પર્યટન, કલા અને સંસ્કૃતિનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે. શીખ ચહેરા મનજિંદર સિંહ સિરસાને આરોગ્ય, શહેરી વિકાસ અને ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. પંકજ કુમાર સિંહને કાયદો, કાયદાકીય કાર્ય અને નિવાસની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના નેતા આશિષ સૂદને મહેસૂલ, પર્યાવરણ, ખાદ્ય અને નાગરિક પુરવઠાના વિભાગો આપવામાં આવ્યા છે. ભાજપે ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી હતી 5 ફેબ્રુઆરીએ યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી જીત મેળવી હતી. આમાં પાર્ટીએ 70માંથી 48 બેઠકો જીતી અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીના દાયકા લાંબા શાસનનો અંત આણ્યો. અઅઙને માત્ર 22 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીમાં ખાતું પણ ખોલાવી શકી નથી. નવી શપથ લેનાર રેખા ગુપ્તા પણ મદન લાલ ખુરાના, સાહિબ સિંહ વર્મા અને સુષ્મા સ્વરાજ પછી દિલ્હીના ચોથા બીજેપી મુખ્યમંત્રી છે.
50 વર્ષની ઉંમરે, તેણીને તમામ ભાજપ શાસિત રાજ્યોમાં એકમાત્ર મહિલા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ છે. હવે ‘શીશમહેલ’નું શું થશે? શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ કરી મોટી જાહેરાત.
એક પણ દિવસ વ્યર્થ કરવામાં નહીં આવે : રેખા ગુપ્તા
રેખા ગુપ્તાએ કહ્યું, આજે અમે સચિવાલય આવ્યા છીએ અને મુખ્યમંત્રી કાર્યાલયનો ચાર્જ સંભાળી લીધો છે. ગઈકાલે સાંજે કેબિનેટની બેઠક નક્કી કરવામાં આવી છે. વિકસિત દિલ્હીના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સતત કામ કરવામાં આવશે. એક પણ દિવસ વ્યર્થ જવા દેવામાં આવશે નહીં. અમે દિલ્હીને આપેલા દરેક વચનને પૂર્ણ કરીશું, રેખા ગુપ્તાએ એક ન્યૂઝ ચેનલને કહ્યું કે જો નીતિ અને ઇરાદા સ્પષ્ટ હોય તો તમામ કામ પૂર્ણ થઈ શકે છે. તેમણે કહ્યું કે દિલ્હીની જનતાને આપેલા દરેક વચનને મોદીની નીતિ, ઈરાદા અને 48 ધારાસભ્યોની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની ટોચની નેતાગીરીએ મારા જેવા સામાન્ય કાર્યકરને દિલ્હીની જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની જવાબદારી સોંપી છે. આ માટે હું દિવસ-રાત મહેનત કરીશ. હું, મારા કેબિનેટ સાથીદારો સાથે, વિકસિત દિલ્હીના સંકલ્પને સાકાર કરવા માટે તમામ પ્રયાસો કરીશ.
