બાંગ્લાદેશની કુટનીતિ : વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની ભાષા બદલી
નવીદિલ્હી, તા. 31
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર, મોહમ્મદ યુનુસ, તાજેતરમાં ચીનની ચાર દિવસની મુલાકાતથી પાછા ફર્યા છે. તેમણે ચીનની મુલાકાત દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ભારતના સાત રાજ્યો ભૂમિથી ઘેરાયેલા છે અને સમુદ્ર સાથે કોઈ જોડાણ નથી, તેથી તેમનો દેશ તે ક્ષેત્રમાં સમુદ્રનો વાસ્તવિક રક્ષક છે અને આ સંદર્ભમાં તેઓ ચીનને તે ક્ષેત્રમાં વિકાસ પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે આમંત્રણ આપી રહ્યા છે. ચીનમાં મુહમ્મદ યુનુસના ભાષણની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ક્લિપમાં, મોહમ્મદ યુનુસને એમ કહેતા સાંભળી શકાય છે કે ઢાકા આ પ્રદેશમાં “સમુદ્રનો એકમાત્ર રક્ષક” છે. ભારતના પૂર્વ ભાગ, ભારતના સાત રાજ્યો, જેને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે. તેઓ ભૂમિગત દેશો છે, ભારત એક ભૂમિગત પ્રદેશ છે. તેમની પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી.” તેમણે ઉમેર્યું કે બાંગ્લાદેશ “સમુદ્રનો રક્ષક” છે, તેથી ચીનને તેના પ્રદેશનો વિસ્તાર કરવા આમંત્રણ આપી રહ્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો અને લખ્યું, “રસપ્રદ વાત એ છે કે યુનુસ ચીનીઓને જાહેર અપીલ કરી રહ્યા છે કારણ કે 7 ભારતીય રાજ્યો ચારે બાજુથી જમીનથી ઘેરાયેલા છે. ચીન બાંગ્લાદેશમાં રોકાણ કરવા માટે આવકાર્ય છે, પરંતુ તેનો અર્થ શું છે કે 7 ભારતીય રાજ્યો ચારે બાજુથી જમીનથી ઘેરાયેલા છે?” બાંગ્લાદેશની સરકારી સમાચાર એજન્સી બાંગ્લાદેશ સંવાદ સંસ્થા (ઇજજ) અનુસાર, યુનુસે તેમની ચાર દિવસીય મુલાકાત દરમિયાન બેઇજિંગ પાસેથી નદીના પાણી વ્યવસ્થાપન માટે 50 વર્ષનો માસ્ટર પ્લાન બનાવવાની પણ માંગ કરી હતી. બાંગ્લાદેશનો આ માસ્ટર પ્લાન તિસ્તા નદીના જળ વ્યવસ્થાપન પર આધારિત છે. આ એક નદી છે જે ભારતમાં પણ વહે છે. પોતાના સંબોધન દરમિયાન, મોહમ્મદ યુનુસે ચીનને “જળ વ્યવસ્થાપનનો માસ્ટર” ગણાવ્યો અને કહ્યું કે અમે અહીં તમારી પાસેથી શીખવા આવ્યા છીએ કે આપણે પાણીના સંસાધનોને લોકો માટે કેવી રીતે ઉપયોગી બનાવી શકીએ છીએ.” આ સાથે, મોહમ્મદ યુનુસે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશની સમસ્યા ફક્ત એક નદીની નથી, પરંતુ (સમગ્ર) વ્યવસ્થાની છે.
