ભારત – અમેરિકા વચ્ચે નવા વેપાર સંબંધો થશે ઊભા

બજારમાં પહોંચ વધારવા, આયાત જકાત ઘટાડવા, અન્ય નોન-ટેરિફ અવરોધો અને સપ્લાય ચેઇનમાં સુધારો કરવા પર ભાર

નવીદિલ્હી, તા. 25
મંગળવારે સંસદમાં, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે ભારત અને અમેરિકા વચ્ચે નવા વેપાર સંબંધો બાંધવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા એક નવા વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વેપારને વેગ આપવાનો છે. તેમણે કહ્યું કે આ કરારમાં બજારની પહોંચ વધારવી, આયાત જકાત ઘટાડવા, અન્ય નોન-ટેરિફ અવરોધો અને સપ્લાય ચેઇનમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે. મંત્રી પ્રસાદે કહ્યું કે અત્યાર સુધી અમેરિકાએ ભારત પર કોઈ ટેરિફ (કસ્ટમ ડ્યુટી) લગાવી નથી અને બંને દેશો પરસ્પર વેપાર સંબંધો વધારવા માટે વાતચીત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકાએ ફેબ્રુઆરીમાં એક મેમોરેન્ડમ જારી કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈપણ દેશ અસમાન વેપાર કરાર અપનાવે છે, જેનાથી અમેરિકાને નુકસાન થાય છે, તો અમેરિકા તે દેશ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.
મંત્રીએ કહ્યું કે 2023 સુધીમાં, ભારતનો સરેરાશ ડ્યુટી દર 17 ટકા છે, જેમાંથી કૃષિ ઉત્પાદનો પર સરેરાશ 39 ટકા અને ઔદ્યોગિક ઉત્પાદનો પર 13.5 ટકા છે. કેન્દ્રીય બજેટ 2025-26 પછી ઔદ્યોગિક ડ્યુટી ઘટીને 10.66 ટકા થઈ ગઈ છે. જો આપણે ભારતના મુખ્ય નિકાસ ઉત્પાદનો વિશે વાત કરીએ, તો તેમાં મોતી, પેટ્રોલિયમ ઉત્પાદનો, ટેલિકોમ્યુનિકેશન સાધનો, સોનાના આભૂષણો, આયર્ન-સ્ટીલ, સુતરાઉ કાપડ અને ઇલેક્ટ્રોનિક ઘટકોનો સમાવેશ થાય છે. વર્ષ 2023માં ભારત અને અમેરિકા વચ્ચેનો કુલ વેપાર 190 બિલિયનનો હશે, જેમાંથી 123 બિલિયન ઉત્પાદન વેપાર અને 66 બિલિયન સેવાઓનો વેપાર હશે. વર્ષ 2023માં ભારતે અમેરિકામાં 83 અબજ ડોલરના માલની નિકાસ કરી હતી અને 40 અબજ ડોલરના માલની આયાત કરી હતી. બંને દેશો વચ્ચે વ્યાપાર અંતર લગભગ 43 અબજ ડોલર છે, જે ભારતની તરફેણમાં છે. હાલમાં ભારત 13 મુક્ત વેપાર કરારો અને નવ ઙઝઅ કરારોમાં સામેલ છે. આ મામલે યુરોપિયન યુનિયન, બ્રિટન અને ઓમાન સાથે પણ વાતચીત ચાલી રહી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
11:45 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm