તપાસ શરૂ થતા જ તમામ ડિજિટલ ડેટા લાગ્યા હાથ : અમદાવાદ બાદ સુરતમાં પણ હાથ ધરાયું સર્ચ
રાજકોટના અધિકારીઓ પણ દરોડામાં જોડાયા : 20 થી વધુ સ્થળો પર ગઈકાલ વેલી સવારથી હાથ ધરાઈ તપાસ : આગામી બે થી ત્રણ દિવસ હજુ ચાલશે સર્ચ ઓપરેશન
રાજકોટ, તા. 23
આવકવેરા વિભાગ દ્વારા વડોદરા શહેરના અનેક અગ્રણી બિલ્ડર જૂથોના મકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. રિયલ એસ્ટેટના વેપારી નિલેશભાઈ શેઠ (રત્નમ ગ્રૂપના સ્થાપક), સોનક શાહ અને અન્ય બિલ્ડરો સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આવકવેરા વિભાગ આ બિલ્ડરો સાથે જોડાયેલા 20 થી વધુ સ્થળોએ કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં વડોદરા, અમદાવાદ અને સુરતના આવકવેરા વિભાગના 150 થી વધુ અધિકારીઓ સામેલ છે. કાળાં નાણાંની સંડોવણી અંગે મળેલી સૂચનાના આધારે શરૂ કરાયેલી તપાસ બાદ કેટલાંક બેનામી વ્યવહારોનો પર્દાફાશ થવાની ધારણા છે. આવકવેરા અધિકારીઓની વિવિધ ટીમોએ પ્રખ્યાત રત્નમ ગ્રુપ અને અન્ય બિલ્ડર જૂથો પર દરોડા પાડ્યા છે.
નિલેશ શેઠ, તેમના ભાઈ પ્રકાશ શેઠ, તેમના ભાગીદારો અને ટઞઉઅ સર્કલ પાસેની તેમની ઓફિસ તેમજ હરાણી મોટનાથ મંદિર પાસે રત્નમ ગ્રુપની સ્કીમ સહિત લગભગ 20 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. વધુમાં, સુત્રો જણાવે છે કે રાજકોટમાં પણ કેટલાક સ્થળોએ સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. 1989 થી, વડોદરાના રત્નમ બિલ્ડર્સે ઘણા રહેણાંક અને વ્યવસાયિક પ્રોજેક્ટ હાથ ધર્યા છે. છેલ્લા 35 વર્ષોમાં, રત્નમે રત્નમ લાઇફસ્ટાઇલ, રત્નમ પાર્ક વ્યૂ અને રત્નમ ગ્રીન ફિલ્ડ્સ સહિત 44 થી વધુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.
આવકવેરા વિભાગે રત્નમ જૂથ સાથે સંકળાયેલા આર્કિટેક્ટ અને અન્ય ફાઇનાન્સર્સની પણ તપાસ કરી છે. દરોડા દરમિયાન, ટીમોએ કથિત રીતે બિલ્ડર જૂથ દ્વારા કરવામાં આવેલા બેનામી નાણાકીય વ્યવહારો અને જમીનની ખરીદી વિશે માહિતી મેળવી હતી. મહત્વના દસ્તાવેજો જપ્ત કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અહેવાલો સૂચવે છે કે કમ્પ્યુટર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહેવાની ધારણા છે, જેમાં બિનહિસાબી કાળું નાણું બહાર આવવાની શક્યતા છે.
છેલ્લા લાંબા સમયથી આવકવેરા વિભાગ સંપૂર્ણ શાંત હતું ત્યારે મળતી બાતમીના આધારે દિવાળી બાદ ઓપરેશન હાથ ધરવામાં આવે તેવું સ્પષ્ટ થતું પરંતુ જે રીતે આવકવેરા વિભાગ ને જે ઇનપુટ મળ્યા તે બાદ તાકીદે સર્ચઓપરેશન ગોઠવવામાં આવ્યું અને અમદાવાદ વડોદરા અને સુરત તેમને આ કામમાં લગાડાય મળતી માહિતી મુજબ રાજકોટથી પણ અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન આગામી બે થી ત્રણ દિવસ સુધી ચાલે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે પ્રાથમિક તપાસ દરમિયાન જ આવકવેરા વિભાગને ખૂબ મોટી સંખ્યામાં ડિજિટલ ડેટા મળી ગયા હોવાની વાત સામે આવી રહી છે.
રત્નમ ગ્રુપ અને સિધેશ્વર ગ્રુપ પર જે દરોડા પાડવામાં આવ્યા તેમાં તેમના સંચાલકોની સાથોસાથ તેમના ભાગીદારો, નાણાકીય પેઢીના સંચાલકો, આર્કિટેક્ચર સહિત અન્ય તમામ પર તવાઈ બોલાવવામાં આવી હતી અને ગઈકાલ વહેલી સવારથી જ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગને મળેલી બાતમી મુજબ રત્નમ ગ્રુપ અને સિદ્ધેશ્વર ગ્રુપ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો કર્યા હોવાનું માલુમ પડતા જ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ભલે આ સર્ચ ઓપરેશન વડોદરા ખાતે યોજાયું પરંતુ રાજ્યના તમામ મુખ્ય શહેરોના જે ટોચના બિલ્ડરો છે તેઓ પણ હવે પફડી ઊઠ્યા છે કે કાલે ફરી શું થશે.
દિવાળી બાદ રાજકોટ ઓપરેશન માટે ઘડાઈ રહ્યો છે તખતો રાજકોટ આવકવેરા વિભાગના અધ્યક્ષ સ્થાને લાડાણી અને ઓરબીટ ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા તે બાદ રાજકોટનું એક પણ ઓપરેશન શરૂ થયું નથી ઊલટું જે આવકવેરા વિભાગ અન્વેષણમાં જે અધિકારીઓ ફરજ બજાવતા હતા તેમનો કાર્યકાર પૂર્ણ થતા તેઓને બદલવામાં આવ્યા છે જ્યારે હવે સંપૂર્ણ નવી ટીમ થતા હાલ દિવાળી બાદ રાજકોટ ઓપરેશન અનેક નવા ધડાકા ભડાકા કરે તેવી સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે અને તે માટેનો તખતો પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવેનું આ ઓપરેશન રીયલ એસ્ટેટ ગ્રુપ ઉપર હશે કે જ્વેલર્સ ગ્રુપ ઉપર તેનો કોઈ અંદાજો નથી પરંતુ જૂનાસર ચોપરેશનમાં જે લોકોની સંડવણી ખોલી હતી તેમને ટાર્ગેટ કરવામાં આવે તોઈ નવાઈ નહીં.
