અમદાવાદ ભુજ વચ્ચે 1 જૂનથી વિમાની સેવાનો પ્રારંભ

0
146

અમદાવાદ ભુજ વચ્ચે 1 જૂનથી વિમાની સેવાનો પ્રારંભ

ગુજરાતના નાના શહેરોને પણ વિમાની સેવાથી જોડવા સાથે ફ્રીકવન્સી પણ વધારવામાં આવી રહી છે. હવે 1લી જુનથી અમદાવાદ-ભુજ વચ્ચે વિમાની સેવા શરૂ કરવામાં આવશે. ગુજરાત સરકારની વાયેબીલીટી ગ્રાંટ ફન્ડીંગ સ્કીમ હેઠળ 1લી જૂનથી અમદાવાદ-ભુજ વચ્ચેની વિમાની સેવા શરુ કરવાનું સરકાર દ્વારા વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યુ હતું. આ સ્કીમ હેઠળ 31 જાન્યુઆરીની સ્થિતિએ રાજકોટ-પોરબંદર-અમદાવાદ-કંડલા, સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ, સુરત-અમરેલી તથા સુરત-ભાવનગર રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. રાજયના નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેખિત ઉતરમાં કહ્યું કે અન્ય બે રૂટ કેન્દ્ર સરકારની ઉડાન સ્કીમ હેઠળ છે તેમાં અમદાવાદ-પોરબંદર તથા અમદાવાદ-કંડલા વિમાની સેવાનો સમાવેશ થાય છે.